પૃષ્ઠો

કફ

જામેલા કફ ની સમસ્યા ને દૂર કરવા માટે હળદર પણ એક પ્રભાવશાળી ઉપાય સાબિત થાય છે. હળદર એક સર્વશ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ પુષ્કળ પ્રમાણ મા હોય છે તથા કકર્યૂમિન પણ હોય છે , જે શરીર ની તમામ આંતરિક અને બાહ્ય સમસ્યાઓ ને દૂર કરે છે. ૧ ગ્લાસ હૂંફાળા દૂધમા ૧ ચમચી હળદર અને ૧/૨ ચમચી કાળા મરી નો પાવડર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ૧ ચમચી મધ પણ ઉમેરો. આ દૂધ નું નિયમિત સેવન કરવા થી થોડાક જ દિવસ મા છાતી અને ગળા મા જામેલો કફ સાફ થઈ જશે.
લસણ મા ભરપૂર પ્રમાણ મા ગુણતત્વો સમાવિષ્ટ છે. જો તમે ૧ કપ પાણી ઉકાળીને તેમાં ૩ લીંબૂ નો રસ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી ત્યાર બાદ તેમાં થોડું ક્રશ કરેલું લસણ ઉમેરીને સાથે જ તેમાં ૧/૨ ચમચી જેટલો કાળા મરી નો પાવડર મિક્સ કરીને છેલ્લે એક ચપટી જેટલું નમક ઉમેરવું. આ બધી જ વસ્તુઓ ને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી કફ ની સમસ્યા ગાયબ થઈ જશે.
ડુંગળી મા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષકતત્વો સમાવિષ્ટ હોય છે જેથી નિયમિત એક ડુંગળી ખાવી જોઈએ. કફની મુશ્કેલી ને દૂર કરવા માટે ૧ ડુંગળી લઈને તેને છોલી ને ક્રશ કરી લેવી. ત્યારબાદ તેમાં ૧ લીંબૂ નો રસ મિક્સ કરવો. હવે ૧ કપ પાણી મા આ મિશ્રણ નાખીને ૨ થી ૩ મિનિટ સુધી તેને ગરમ કરવું. આ ઉપરાંત તેમાં ૧ ચમચી મધ પણ ઉમેરવું. હવે આ મિશ્રણ ને દિવસ મા ત્રણ વખત આરોગવું, નિયમિત આરોગવા થી ગળા નો દુ:ખાવો તથા કફ જામી જવાની સમસ્યા જડમૂળ થી દૂર થઈ થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો